Posts

Showing posts from January, 2007

કેફિયત

ગઈ કાલે મને સપનુ આવ્યું...હું મૃત્યુ પછી ઇશ્વર સમક્ષ ઉભો હતો. તેમણે જીવનનો હિસાબ માગ્યો....કવિ હતો ને કવિતા સંભળાવી.. ઔપચારિકતાનો અંચળો ફેંકીને આવ્યો છું રિવાજોની દરેક દિવાલો ઠેકીને આવ્યો છું વિધાતાએ લખ્યું'તું:કાં લખવું કાં વલખવું હું તો લખેલુંયે સઘળું છેકીને આવ્યો છું તેં તો મનાઇ કરી હતી કોઇને ય ચાહવાની સોરી પ્રભુ! ઇચ્છા તારી ઉવેખીને આવ્યોછું કોઇ મને સમજે એ ઝંખના લૈ જીવતો રહ્યો ક્દીય ન સમજાતી દુનિયા દેખીને આવ્યોછું લાગણીઓ હવે નહી લલચાય સુવર્ણમૃગમાં સમયના મારિચ પર તીર ફેંકીને આવ્યો છું -પ્રણવ ત્રિવેદી

રાષ્ટ્રપ્રેમ અને પ્રેમરાષ્ટ્ર સાથે સાથે...

વીસમી સદી ની કોઇ અદભૂત ભેટ હોય તો એ છે વર્તમાનપત્રની ભેટ. આપણી રોજીંદી જીંદગી સાથે આ વર્ત્રમાન પત્ર એટલી હદે જોડાઇ ગયું છે કે આપણે તેના વ્યસની બની ગયા છીએ. જો કે તેમાં આવતા સમાચારોની ગુણવત્તા કે સારાસારનો વિવેક કે જાહેરાતોનો અતિરેક એ આખો અલગ વિષય છે. આપણે જ્યારે ટેલિવિઝનના દુષણોની વાત કરીએ ત્યારે એક વાત તો હકિકત છે કે તેનું રીમોટ તો આપણા જ હાથમાં હોય છે. તેવી જ રીતે અખબારોમાં છપાતી દરેક વાત વાંચવી કે નહી તે પણ આપણા જ હાથની વાત છે. આપણી આંખના પંખીને ક્યા કોલમ પર બેસવા દેવું તે તો આપણે નક્કી કરી શકીએ ને? જોકે આ વિષય વિવાદ પણ સર્જી શકે પણ મારે તો વાત કરવી છે તાજેતરમાં બધા અખબારોમાં છપાયેલા એક સમાચાર વિષે. મહાત્મા ગાંધીના એક વંશજશ્રી એ લખેલાં એક પુસ્તકથી વહેતી થયેલી વાતો વિશે આજે વાત કરવી છે. ગાંધીજી 'લગે રહો મુન્નાભાઇ' પછી સતત સમાચારોમાં છવાયેલા રહ્યા છે. નવી પેઢીની માનસિકતાને અનૂરૂપ એવો 'ગાંધીગીરી' શબ્દ ચલણી બન્યો છે. એજ સમયે 'ગાંધીજી પણ કોઇકના પ્રેમમાં હતાં' એવા શિર્ષક સાથે સમાચારો બોક્સ આઇટેમ તરીકે પ્રકાશિત થયાં.આમ તો આમાં કશુ નવું છે જ નહી. એ માણસ તો સૌને પ્રે