Posts

Showing posts from April, 2012

અમારા પટેલસાહેબ...

માર્ચ ૧૯૮૨માં બારમાં ધોરણમાં પરીક્ષા આપી અને શાળાજીવનનો અંત આવ્યો. મુગ્ધાવસ્થાના સ્થાને ઘટમાં યૌવનના ઘોડા થનગનવા લાગ્યા અને ભાવનગરની શ્રી ભોગીલાલ મગનલાલ કોમર્સ હાઈસ્કૂલ સ્મરણમંજૂષાનું ઘરેણું બની ગઈ. એ પછીના પસાર થયેલાં ત્રણ દાયકામાં સાહિત્યિક રૂચિ જળવાઈ રહી અને સાહિત્યને માણતા રહ્યા એનું શ્રેય શાળાજીવનના અંતિમ વર્ષે જે વર્ગશિક્ષક હતા એ શ્રી પટેલસાહેબને જાય છે. અન્ય શિક્ષકો પ્રત્યે પણ પૂરતો આદર પણ પટેલસાહેબ તો મનના એક ખુણે પૂજ્યભાવે બિરાજયા.  આમ તો કોઈ દેખીતું કારણ ન હોવા છતાં ભાવનગર જવાનું થતું તો પણ એમને મળવાનું શક્ય બનતું જ નહી. કામનું ભારણ હોય કે સમયનો અભાવ મનના એક ખુણે થી ઉઠતી ઈચ્છા પાછી ઊંડે ધરબાઈ જતી. ૨૦૧૨ની ૧૮મી માર્ચે શાળા છોડયાના બરાબર ત્રીસ વર્ષ પછી પેલો અકબંધ રહેલો પૂજ્યભાવ સપાટી પર આવી ગયો અને મારા મિત્ર અને બેંક અધિકારી શ્રી એમ એ સરવૈયા સાથે પહોંચ્યો શ્રી પટેલસાહેબના ઘરે. મનમાં થોડી અવઢવ હતી કે તેઓ આજે આટલા વર્ષે મળશે કે કેમ? મળશે તો ઓળખી શકશે કે કેમ ? સરસ વિશાળ ફળિયામાંથી પસાર થઈ એક નાનકડા ઓરડા પાસે પહોંચ્યા તો એક કૃશકાય વૃધ્ધ કશુક લુહારી કામ કરવામાં વ્યસ્ત હતાં. ઓરડામાં