Posts

Showing posts from May, 2006

લેણદેણ

ગઝલ  મળે પીંછા સરિખો સ્પર્શ અને વેણુ સરિખા વેણ  ઝંખના છે બસ આટલી પછી ભલે બિડાતાં નેણ  સમાધાનના સુતરથી સાંધતો રહ્યો છું સંજોગોને  સાંધો ગણો તો સાંધો અને રેણ ગણો તો રેણ  સમંદર એટલે તો રોજ રોજ કિનારે આવતો રહ્યો  પ્રતિક્ષા છે જેની એ જ નદીનાં આવ્યા નહી વ્હેણ  પંચતત્વનું પરબીડિયું પણ પરત મળ્યુ છે મને  તું જ કહે હવે કેવી રીતે મોકલાવવું તને કહેણ  હું મોકલું ધુમ્મસનો દરિયો ને તું મોક્લે સુરજ  બચી છે આપણી વચ્ચે માત્ર આટલી જ લેણદેણ   -પ્રણવ ત્રિવેદી

ગુરુત્વાકર્ષણ

ગુરુત્વાકર્ષણ પૃથ્વી પરની તમામ ઘટનાઓ એક યા બીજી રીતે ગુરુત્વાકર્ષણના નિયમને આધિન હોય છે. આપણું અત્યારનું જીવન ગુરુત્વાકર્ષણ વગર આપણે કલ્પી જ ન શકીએ. કોઇ વસ્તુ કે વ્યક્તિ જમીન અને આકાશ વચ્ચે સ્થિર રહી શકે તેનો અર્થ જ એ કે તેણે જણ્યે અજાણ્યે પણ ગુરુત્વાકર્ષણના મધ્યબિંદુ પર સમતોલન મેળવ્યું છે. બાળક નાનુ હોય અને ચાલતાં શીખે ત્યારે વાસ્તવમા તે ચાલતાં નહી પણ ગુરુત્વાકર્ષણના આવાં મધ્યબિંદુ પર સંતુલન કેળવતાં શીખે છે. એ બાળક સાયકલ શીખશે ત્યારે પણ આ જ સિધ્ધાંત સાથે તેને પનારો પાડવાનો છે.બાળપણમાં આપણે જે શિખ્યા તે ગુરુત્વાકર્ષણનો આ સિધ્ધાંત છે શું ? પૃથ્વી પરની દરેક ચિજ કદમાં તો સ્વભાવિક જ પૃથ્વીથી નાની જ હોવાની. કોઇ પણ નાનો પદાર્થ તેનાથી મોટા પદાર્થ તરફ આકર્ષાય તે પ્રકૃતિનો નિયમ તે જ ગુરુત્વાકર્ષણ. પણ આપણે ક્યાં ખગોળશાસ્ત્રના કોઇ નિયમની વાત કરવી છે, આપણે તો આ નિયમનું ચિંતન કરવુ છે જીવન દર્શનના સંદર્ભમાં.જીવનમાં હું અને તમે પણ આપણે માની લીધેલી અનેક ગુરૂતા તરફ અનાવશ્યક પણે આકર્ષાતા હોઇએ છીએ. કોઇ ઘટના કે કોઇ વ્યક્તિને મહત્વના માની લઈને આપણી વૈચારિક ક્ષમતાને અને જીવનના વહેણને તેના સંદર્ભમાં વિચારવ

મનોમંથન

મનોમંથન આજથી સો-સવાસો વર્ષ પહેલાં દક્ષિણ આફ્રીકાના એક રેલ્વે સ્ટેશને એક હિન્દુસ્તાની માણસને માત્ર અને માત્ર રંગભેદના કારણે ગાડીમાંથી અપમાનીત કરી સામાન સહીત પ્લેટ્ફોર્મ પર ફેંકી દેવામાં આવ્યો. વિચારો તો ખરાં કે સાવ અજણ્યા મુલ્કમાં, સાવ અજાણ્યા માણસો વચ્ચે એ માણસે એક રાત પ્લેટ્ફોર્મ પર પસાર કરી. કેવું જબરદસ્ત મનોમંથન અનુભવ્યું હશે એ માણસે? એ મંથનની ક્ષણો તેને બળવાખોર બનાવી શકી હોત કે પછી અપમાનમાંથી પ્રગટેલાં વિષાદે આત્મહત્યા પણ નોતરી હોત. જોકે નિયતિની યોજના કંઈક અલગ જ હતી. મનોમંથનમાંથી જીવનદર્શન પ્રગટે એ પળ સાક્ષાત્કારની પળ કરતાં જરાં પણ ઉતરતી નથી હોતી. મંથનમાંથી પ્રગટેલ જીવનદર્શને જ મોહનદાસ કરમચંદ ગાંધીને વિશ્વવિભૂતિની કક્ષાએ લાવી મુક્યા. યાંત્રીકરણના આજના યુગમાં મનોરંજનની દોડમાં આપણે મનોમંથન કરવાનું ભુલી ગયા છીએ. ખરેખર તો આપણે દર વરસે એક દિવસ માત્ર જાત સાથે સંવાદ માટે "મંથન દિવસ" તરીકે ઉજવવાનુ આયોજન કરવુ જોઇએ. અને વિચાર વલોણું ચલાવી કેટલાંક સવાલોના જવાબ શોધવા જોઇએ. - આ જગતમાં વસતા દરેક સજીવો પોતાના માટે ખોરાક પાણી અને આશરો મેળવવા માટે મથે છે. તમે તમારી જાત માટે આથી વિશેષ

સુખ એટલે......

સુખ એટલે...... સુખ જેવું કંઇ નથી જગમાં, જે કંઇ છે તે આજ છે સુખ એ તો અમારા દુ:ખનો બદલાયેલો મિજાજ છે. આ પંક્તિઓ વાંચતા જ સુખની સાદી વ્યાખ્યા શોધવાની મથામણ શરૂં થઈ. દુ:ખી માણસોના સુખનો અને સુખી માણસોના દુ:ખનો અભ્યાસ કરતાં જે વ્યાખ્યા જડી આવી તે આમ છે. જમ્ય હોઇએ તે સમયસર પચી જાય અને પથારીમાં પડતાં જ ઉંઘ આવી જાય તે સુખની નિશાની. ખોરાક્ની સત્વશીલતાને અને પાચનને જેમ સીધો સંબંધ છે તેવી જ રીતે ખોરાકની તમારી થાળી સુધીની યાત્રાને પણ સીધો સંબંધ છે. આપણે ત્યાં "હરામનો પૈસો" તેવો શબ્દ વારંવાર સંભળાય છે પણ જે ભોજનની તૈયારીમાં આંસુ વપરાયા હોય તેને "હરામનો ખોરાક" ગણવાનો આપણે ત્યાં રિવાજ નથી. રોજી-રોટીની તલાશમાં આવેલો રેસ્ટોરન્ટનો કૂક મનોમન તો દુર દેશાવરમાં રહેતાં પોતાના પરિવાર માટે ઝૂરતો હોય છે. માટે જ તેણે બનાવેલાં ખોરાકમાં સ્વાદની બોલબાલા હોય પણ સત્વ ગેરહાજર હોય તેવું બનતું હોય છે. આ વાત સાસરે મન મારીને જીવતી સ્ત્રીના હાથથી બનેલી રસોઇને પણ એટલી જ લાગું પડે છે. કોઇ વાનગીમાં જ્યાં સુધી ઉમળકાનું રસાયણ ન ભળે ત્યાં સુધી તેમાં સ્વાદ,સત્વ અને માધુર્યનો સમન્વય રચાતો નથી. ક્યાંક વાંચ્ય

સંબંધોપનિષદ

આ દુનિયા જાણે સંબંધોનો દરિયો. સંબંધો તો પાણીના પરપોટાની જેમ પ્રગટે અને ફૂટે... સંબંધો તો ફૂલ થઈને ફોરે.. સંબંધો તો શૂળ થઈને કોરે.. ક્યાંક સંબંધો પર્વત જેવા અવિચળ, ક્યાંક સંબંધો ઝરણા જેવા ચંચળ... સંબંધો તો શમણું થઈને સરે... સંબંધો તો તરણું થઈને તરે... સંબંધો તો સુર્યમુખીનુ ફૂલ... સંબંધો તો અગનશિખાનુ શૂળ ક્યાંક સંબંધો કર્ણના કવચકુંડળનો ભાર, ક્યાંક સંબંધો યુધિષ્ઠિરના અર્ધસત્યનો ભાર.. સંબંધો તો વૈશાખી બપોરનું આકાશ, સંબંધો તો ચાતક કંઠ્ની પ્યાસ ! સંબંધો નાના હોય કે પછી હોય મોટા, સંબંધો તો અભિમન્યુના સાત કોઠાં ! -પ્રણવ ત્રિવેદી

સલામ

સલામના સાથીદારો વરસો પહેલાં શ્રી બકુલભાઇ ત્રિપાઠી પાસે થી એક વાત સાંભળેલી. યાદ્શકિતના આધારે તેમના જ શબ્દોમાં લખું છું. "કોલેજમાં મારા દેખાવના કારણે અવારનવાર મારે ભાગે વિધ્યાર્થીઓ માટે મજાક્નું સાધન બનવાનું આવતું. મે નક્કી કર્યું કે કોલેજ બંધ થવાના સમયે ચોકીદારની સાથે જ બહાર નીકળવું. છતાં ક્યારેક ક્યારેક રસ્તામાં કોલેજનો કોઇ વિધ્યાર્થી કે વિધ્યાર્થીની મળી જાય ત્યારે મારા નવા નવા નામ અચુક મારા કાને પડતાં ! જોકે સમય જતાં હું આ બધાંથી ટેવાઇ ગયો હતો. એક દિવસ સાંજે કોલેજમાંથી નિક્ળ્યો. દરવાજાથી થોડે જ દૂર એક વિધ્યાર્થી મળ્યો. આઘાતજનક રીતે તેણે મને 'ગુડ ઇવનીંગ સર' કહ્યું. આમ તો આવો એકાદ આંચકો તો હું પચાવી શકું છું. થોડે આગળ જતાં જ બીજો વિધ્યાર્થી સામે મળ્યો મારા કાન તૈયાર હતાં બબુચક કે ઠિંગુજી કે ગટુમારજ કે એવું કશુંક ઉપનામ સાંભળવા માટે. પણ વળી એક આઘાત...તેણે મને 'સર નમસ્તે' કહ્યું ! થોડે આગળ જ પાનની કેબિનની ફૂટપાથ પર ઉભેલી અમારી કોલેજની તોફાની ટોળકી દેખાઇ. તેમાનાં ઘણાં વિષે હું આચાર્યને ફરિયાદ કરી ચુક્યો છું એટલે તે લોકો મારા વિષે કોઇ ઉંચો અભિપ્રાય તો નહી જ ધરાવતાં હોય

વિષાદ

આજના ઝડપી યુગની કોઇ સામાન્ય ફરિયાદ જો હોય તો એ છે સતત તણાવનો અનુભવ. શિક્ષક કે વિધ્યાર્થી, નોકરિયાત હોય કે વેપારી,ઘરરખ્ખુ ગૃહિણી કે નોકરી કરતી સ્ત્રી દરેક વ્યક્તિ વધતે ઓછે અંશે તણાવગ્રસ્ત છે અને પોતપોતાની ક્ષમતા અનુસાર આ સમસ્યાનો સામનો કરે છે. તણાવથી દૂર કેવી રીતે રહેવાય તેની શિખામણો,સલાહો કે પ્રવચનો આપનારો વર્ગ તેમજ તેને લગતુ વિવિધ સાહિત્ય પ્રગટ કરનારો વર્ગ બહોળાં પ્રમાણમાં છે. આ તણાવ જ આપણા મનમાં વિષાદ(ડીપ્રેશન)ને જન્મ આપે છે. આજે થોડું ચિંતન દરેકના જીવનમાં અણગમતાં અતિથિની માફક પાછલાં બારણેથી પ્રવેશી જતાં વિષાદ વિશે...... જીવનમાં જે તબક્કે નાવિન્ય લાવવાની હોંશ ખતમ થતી જાય છે ત્યારે વિષાદને મન પ્રદેશમાં પુરતી જગ્યા મળી જાય છે. બીજી પીડાઓ કે ઊપાધિઓ કે મુશ્કેલીઓને જો કૌરવ સાથે સરખાવીએ તો વિષાદ કર્ણ કહેવાય. આનંદનો સહોદર હોવાં છતાં તેનુ સ્થાન આનંદની વિરોધી છાવણીમાં હોય છે. પાછું અનૌરસ સંતાન ! અગણિત અપેક્ષાઓ અને મર્યાદિત પ્રાપ્તિનું અનૌરસ સંતાન ! સંજોગો સાથે કરવા પડતાં અનેક સમધાનો અને શરીર-મનની વણવપરાયેલી ઉર્જાનું તાંડવનૃત્ય એટલે આ વિષાદ. એ આવે છે મહેમાન તરિકે અને પછી મનપ્રદેશમાં ઇસ્ટ ઇન